ભારતનું બંધારણ : બંધારણીય સુધારાઓ ( bandharaniy sudhara)
Bandharaniy-sudhara |
- બંધારણના ભાગ-20માં અનુચ્છેદ 368માં બંધારણીય સુધારા અને તેની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે.
- ભારતમાં બંધારણીય સુધારા નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ છે અર્થાત કેટલાક બંધારણીય સુધારા સરળતાથી થાય છે તો કેટલાક બંધારણીય સુધારા કરવા કઠિન છે.
- 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું કે સંસદ બંધારણના કોઈ પણ ભાગને બદલી શકે છે, પણ બંધારણના મૂળભૂત માળખાને બદલી શકે નહિ.
- 1976માં 42માં બંધારણીય સુધારાથી સંસદે જોગવાઈ દાખલ કરી કે અનુચ્છેદ 368ની પ્રક્રિયા મુજબ થયેલા કોઈ પણ બંધારણીય સુધારાને અદાલતમાં પડકારી શકાય નહિ.
- 1980માં “મિનર્વા મિલ્સ કેસ" માં સર્વોચ્ચ અદાલતે ન્યાયિક પુનઃવિચારને બંધારણનું મૂળભૂત આધારસ્તંભ જણાવ્યું તથા હવે તમામ બંધારણીય સુધારાઓ સવોચ્ચ અદાલતના ન્યાયિક પુનઃવિચાર હેઠળ છે.
- બંધારણના મૂળભૂત લક્ષણોમાં ફેરફાર કરી શકાતો નથી.
- સર્વોચ્ચ ન્યાયાલય અનુસાર ભારતનાં બંધારણના મૂળભૂત લક્ષણો નીચે પ્રમાણે છે.
- બંધારણની સર્વોચ્ચતા
- કાયદાનું શાસન
- શક્તિના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત
- બંધારણની પ્રસ્તાવનામાં જાહેર કરેલા ઉદ્દેશ્ય
- અનુચ્છેદ-32
- ન્યાયિક પુનઃઅવલોકન
- પંથનિરપેક્ષતા
- પ્રભુત્વસંપન્ન, લોકતાંત્રિક ગણ રાજ્યની રચના
- વ્યક્તિની સ્વતંત્રતા અને ગરીમા
- રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
- સમાનતાનો સિદ્ધાંત
- ભાગ-3ના મૂળભૂત અધિકારોનો સાર
- ન્યાયપાલિકાની સ્વતંત્રતા
- સરળતાથી ન્યાય મળે
- સામાજિક અને આર્થિક ન્યાયની સંકલ્પના (સંપૂર્ણ ભાગ-4)
- મૂળભૂત અધિકાર અને નિર્દેશક તત્ત્વો વચ્ચે સંતુલન
- સંસંદીય પ્રણાલીનું શાસન
- સ્વતંત્રતા અને નિષ્પક્ષ ચૂંટણીનો અધિકાર
- સમવાયતંત્ર
- મુક્ત અને ન્યાયી ચૂંટણીનો સિદ્ધાંત
- ન્યાય સુધી અસરકારક પહોંચ
- સામાજિક ન્યાય
બંધારણીય સુધારાઓ ત્રણ રીતે થઈ શકે છે.
1. સંસદમાં સામાન્ય બહુમતીથી
- આ સુધારાઓ સામાન્ય રીતે બંધારણીય સુધારા ગણાતાં નથી. જે નીચે મુજબની બાબતમાં થાય છે.
- અનુચ્છેદ 3: રોજ્યોનું પુનર્ગઠન /નામ/સીમા પરિવર્તન
- અનુચ્છેદ 4: પ્રથમ અને ચોથી અનુસૂચિમાં પરિવર્તન
- અનુચ્છેદ 169 : વિધાન પરિષદની રચના
- અનુચ્છેદ 239 (A) કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિધાનસભા
- પ્રથમ અનુસૂચિ - સંધ / રાજ્યક્ષેત્ર
- ચોથી અનુસૂચિ - રાજ્યસભાની બેઠકોની વહેંચણી
- પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ - અનુસૂચિત જાતિ અને આદિજાતિના વિસ્તારો
- બીજી અનુસૂચિ - કોરમ અંગેની જોગવાઈ
- સંસદ સભ્યોના વેતન/ ભથ્થા/ વિશેષાધિકાર
- અંગ્રેજી ભાષા પ્રયોગ અને રાજભાષા
- સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશોની સંખ્યા
- નાગરિક્તા
- ચૂંટણી ક્ષેત્રનું પુનઃસીમાંકન
- સવોચ્ચ ન્યાયાલયનું મહત્ત્વ વધારવું
2. બંને ગૃહોની અલગ-અલગ વિશેષ (2/3) બહુમતી
- મૂળભૂત અધિકાર + રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
- અહીં ચર્ચાયેલા મુદ્દા નં. 1 અને મુદ્દા નં. 3 સિવાયના બંધારણના બધા જ
3. બંને ગૃહોની વિશેષ બહુમતી અને અડધાથી વધુ વિધાનસભાની મંજૂરીથી
- અનુચ્છેદ 54 : રાષ્ટ્રપતિની ચૂંટણી
- અનુચ્છેદ 55 : રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા
- અનુચ્છેદ 73 : કેન્દ્રની કારોબારી સત્તાનો વિસ્તાર
- અનુચ્છેદ 162 : રાજ્યોની કારોબારી સત્તાનો વિસ્તાર
- અનુચ્છેદ 241 : કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઉચ્ચ ન્યાયાલય
- સંઘીય ન્યાયપાલિકા (ભાગ -5)
- રાજ્યો માટે ઉચ્ચ ન્યાયાલય (ભાગ -6)
- 7 મી અનુસૂચિ
- અનુચ્છેદ 368 : બંધારણીય સુધારા
યાદ રાખો :
- એમ. વી. પાયલી નામના વિદ્વાન લખે છે કે, "એવું કોઈ સમવાયતંત્રી બંધારણ નહિ હોય જે સ્થિતિસ્થાપક તથા મુશ્કેલ એમ બંને સંશોધન પ્રક્રિયાનો ઉપયોગ કરે, આ વિશેષતા માત્ર ભારતના બંધારણમાં જોવા મળે છે. "
- બંધારણીય સુધારાને કાયદા ઘડતરની જેમ ત્રણ વાંચન અને જરૂર પડે તો પ્રવર સમિતિને સોંપી શકાય છે. પરંતુ આ માટે લોકમત લેવાની જોગવાઈ કરેલ નથી.
ભારતનાં બંધારણના મહત્વના બંધારણીય સુધારાઓ
1 લો બંધારણીય સુધારો, 1951
- અનુચ્છેદ-19ની કેટલીક સ્વતંત્રતા પર કાપ મૂકતી જોગવાઈઓ ઉમેરવામાં આવી. (વિદેશ મૈત્રીને ધ્યાનમાં લઈ.)
- અનુચ્છેદ-31 (A) અને 31 (B) તથા 9મી અનુસૃચિ જોડવામાં આવી.
7 મો બંધારણીય સુધારો, 1956
- રાજય પુનર્ગઠન આયોગની સલાહ લાગુ કરવા નવેસરથી રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રૂપમાં વર્ગીકરણ કરવા તથા બંધારણનો ભાગ-7 રદ કરવામાં આવ્યો.
11 મો બંધારણીય સુધારો, 1961
- સંસદમાં કે વિધાનરાભામાં ખાલી પદને કારણે રાપ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચુંટણીને પડકારી શકાશે નહીં.
18 મો બંધારણીય સુધારો, 1966
- અનુચ્છેદ-૩માં સુધારા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ કે “રાજય” શબ્દમાં કેન્દ્રશાસિત પ્રદેશનો પર સમાવેશ.
21 મો બંધારણીય સુધારો, 1967
- સિંધી ભાષાને 8 મી અનુસૂચિમાં જોડવામાં આવી.
26 મો બંધારણીય સુધારો, 1971
- ભારતીય રજવાડાના શાસકોના “પ્રિવીપર્સ'' (Privy Purse) અને વિશેષાધિકારો સમાપ્ત કરવામાં આવ્યા.
36 મો બંધારણીય સુધારો, 1975
- સિક્કિમનો ભારતીય સંઘમાં પ્રથમ અનુસૂચિમાં સમાવેશ.
38 મો બંધારણીય સુધારો, 1975
- અનુચ્છેદ-123 / અનુચ્છેદ-213 / અનુચ્છેદ-352માં સુધારો. જેના અંતર્ગત રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના બંધારણીય નિર્માણને કોઈપણ ન્યાયાલયમાં પડકારી શકાશે નહિ.
42 મો બંધારણીય સુધારો, 1976
- આ સુધારો “નાનુ બંધારણ” તરીકે ઓળખવામાં આવે છે.
- મોટાભાગના સુધારા “સ્વર્ણસિંહ સમિતિ”ની સલાહ મુજબ.
- આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો જોડવામાં આવ્યા.
- મૂળભૂત ફરજો જોડવામાં આવી.
- સંસદના કોઈપણ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા ન્યાયાધીશોની 2/3 બહમતીની જોગવાઈ,
44 મો બંધારણીય સુધારો, 1978
- સંપત્તિનો અધિકાર અનુચ્છેદ-31 અને અનુચ્છેદ-19 (1)(f) કાઢી નાખવામાં આવ્યો. સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારમાંથી માત્ર કાનુની અધિકાર બનાવી તેને અનુચ્છેદ- 300 (A)માં ઉમેરવામાં આવ્યો, પણ તેની અસર અલ્પસંખ્યકોના શિક્ષા સંબંધી સંસ્થાનો પર પડશે નહીં.
- અનુચ્છેદ-352 “આંતરિક અશાંતિ''ને બદલે "સશસ્ત્ર બળવો'' શબ્દ વપરાયો.
- અનુચ્છેદ-21 અને અનુચ્છેદ-22માં નિવારક નિરોધ માટે વધુમાં વધુ 2 મહિના જ કેદમાં રાખી શકાય તેવી જોગવાઈ.
52 મો બંધારણીય સુધારો, 1985
- “પક્ષપલટા વિરોધી કાયદા”ની અનુચ્છેદ-102 (2) અને 10મી અનુસૂચિમાં જોગવાઈ કરવામાં આવી.
61 મો બંધારણીય સુધારો, 1989
- પુખ્તમતાધિકારની વયમયાદા ઘટાડી 21માંથી 18 કરવામાં આવી.
69 મો બંધારણીય સુધારો, 1991
- દિલ્લીને રાષ્ટ્રીય રાજધાનીક્ષેત્ર જાહેર પણ કેન્દ્રશાસિત તથા વિધાનસભા અને મંત્રીપરિસદની રચનાની જોગવાઈ.
70 મો બંધારણીય સુધારો, 1992
- દિલ્લી અને પુંડુચેરીની વિધાનસભાના સભ્યોનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકવાની જોગવાઈ.
71 મો બંધારણીય સુધારો, 1992
- કોંકણી, મણીપુરી અને નેપાલી ભાષાઓને બંધારણની 8મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો.
73 મો બંધારણીય સુધારો, 1992
- પંચાયતીરાજથી સંબંધિત ભાગ-9 ઉમેરવામાં આવ્યો, જેમાં અનુચ્છેદ - 243 અને તેના પેટાઅનુચ્છેદ તેમજ 11મી અનુસૂચિ જોડવામાં આવી.
74 મો બંધારણીય સુધારો, 1992
- નગરપાલિકા સંબંધી ભાગ-9 (4)ઉમેરવામાં આવ્યો, જેમાં અનુચ્છેદ-243માં પેટાઅનુચ્છેદ અને 12મી અનુસૂચિ જોડવામાં આવી.
81 મો બંધારણીય સુધારો, 2000
- "બેકલોગ અંગેની જોગવાઈ”
- અનુચ્છેદ-16ની જોચવાઈ મુજબ જે તે વર્ષમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના ખાલી સરકારી પદ જે અનામત છે તે આગામી વર્ષ અનામત તરીકે જ ગણવામાં આવશે ભલે પછી તે વર્ષે અનામતનું પ્રમાણ 50 % થી વધુ થઈ જાય.
86 મો બંધારણીય સુધારો, 2002
- બંધારણના ભાગ-3 માં મૂળભૂત અધિકારોમાં “શિક્ષાનો અધિકાર" ઉમેરવામાં આવ્યો. આ અંતગત “અનુચ્છેદ-21(A) 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ " ઉમેરવામાં આવ્યો.
- અનુચ્છેદ 45માં પરિવર્તન કરવામાં આવ્યું જે મુજબ “રાજ્યએ ત્યાં સુધી બાળકોની પ્રાથમિક સંભાળ અને શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે જયાં સુધી તે 6 વર્ષનો ન થાય."
- અનુચ્છેદ 51 (A)માં 11મી મૂળભૂત ફરજ જોડવામાં આવી, “6 થી 14 વર્ષ સુધીના બાળકોને તેમના માતા-પિતા અથવા વાલી શિક્ષણ અપાવશે.”
89 મો બંધારણીય સુધારો, 2003
- અનુચ્છેદ-338 અંતગંત અનુસૂચિત જાતિઓના સંયુક્ત આયોગને અલગ પાડી બંધારણમાં અનુચ્છેદ-338 (A) જોડી અનુસૂચિત જનજાતિઓ માટે “રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ (આદિજાતિ) આયોગ''ની રચના કરવામાં આવી. જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્રારા કરવામાં આવશે.
91 મો બંધારણીય સુધારો, 2003
- મંત્રીપરિષદનો આકાર લોકસભા અને વિધાનસભાની કુલ સંખ્યાના વધુમાં વધુ 15% મુધી જ મયાંદિત કરી દેવામાં આવ્યો. આ માર્ટે અનુચ્છેદ-75 અને અનુચ્છેદ-164માં સુધારા કરવામાં આવ્યા.
92 મો બંધારણીય સુધારો, 2003
- બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી ભાષાઓનો બંધારણની 8મી અનુસૂચિમાં સમાવેશ.
94 મો બંધારણીય સુધારો, 2006
- અનુચ્છેદ-164માં સુધારો કરી છત્તીસગઢ અને ઝારખંડમાં જનજાતીય (આદિજાતિ) બાબતોના અલગ મંત્રાલયની જોગવાઇ તથા બિહારમાં આ વિભાગ બંધ કરવામાં આવ્યો.
95 મો બંધારણીય સુધારો, 2009
- અનુસૂચિત જાનિ, અનુસૂચિત જનજાતિ અને એંગ્લો-ઇન્ડિયન માટે લૉકસભા અને રાજ્યોની વિધાનસભામાં અનામત બેઠકોની જોગવાઇ આગામી 10 વર્ષ (2020 સુધી) વધારવામાં આવી.
96 મો બંધારણીય સુધારો, 2011
- “ઓરિયા” ભાષાનું નામ પરિવતન કરીને 'ઉડિયા” કરવામાં આવ્યું.
97 મો બંધારણીય સુધારો, 2011
- કો-આપરેટિવ સોસાયટી (સહકારી સમિતિ) ઓને બંધારણીય દરજ્જો અને રક્ષણ આપવામાં આવ્યું. જે અંતર્ગત ભારતના બંધારણમાં નીચે મુજબના સુધારા કરવામાં આવ્યાં.
- બંધારણના ભાગ-3 માં અનુચ્છેદ-19માં પરિવર્તન કરી કો-ઓપરેટીવ સોસાયટી રચવાની સ્વતંત્રતા મૂળભૂત અધિકાર તરીકે ઉમેરવામાં આવી.
- બંધારણના ભાગ-4માં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત અનુચ્છેદ-43 (B) ઉમેરવામાં આવ્યો.
- બંધારણમાં “ભાગ-9(B)-કો-ઓપરેટીવ-ઓપરેટીવ સોસાયટી”ના નામથી નવા ભાગ ઉમેરવામાં આવ્યો. જેમાં અનુચ્છેદ-243(ZH) થી અનુચ્છેદ-243(ZT) ઉમેરવામાં આવ્યો.
98 મો બંધારણીય સુધારો, 2012
- કર્ણાટક રાજયમાં “હૈદરાબાદ-કર્ણાટક' ક્ષેત્ર માટે વિશેષ જોગવાઈ અંતર્ગત અનુચ્છેદ-371(J) ઉમેરવામાં આવ્યો.
99 મો બંધારણીય સુધારો, 2014
- સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રદ કરવામાં આવ્યો.
100 મો બંધારણીય સુધારો, 2015
- ભારત-બાંગ્લાદેશ વચ્ચે “જમીન સરહદ કરાર''.
101 મો બંધારણીય સુધારો, 2016
- ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિશે.
ભારતનું બંધારણ : બંધારણીય સુધારાના વન લાઈનર પ્રશ્નો
1. ભારતના બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાનું વર્ણન કરવામાં આવ્યું છે?
- ભાગ-20
2. બંધારણીય સુધારા અંગે જોગવાઈ ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
- અનુચ્છેદ-368
3. સર્વોચ્ચ ન્યાયાલયે કયા ચુકાદામાં જણાવ્યું કે “તમામ બંધારણીય સુધારાઓ સર્વોચ્ચ અદાલતના ન્યાયિક પુનઃ વિચાર હેઠળ છે'' ?
- મિનર્વા મિલ્સ,1980
4. ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો ?
- ઈ.સ.1951
5. રાજ્યપુનર્ગઠન આયોગની સલાહ લાગુ કરવા બંધારણમાં કયો સુધારો કરવામાં આવ્યો ?
- 7 મો બંધારણીય સુઘારો,1956
6. કયા બંધારણીય સુધારાથી ભારતીય રજવાડાના શાસકોને “પ્રિવીપર્સ'' સમાપ્ત કરી દેવામાં આવ્યા?
- 26 મો બંધારણીય સુધારો, 1971
7. ક્યા બંધારણીય સુધારાથી સિક્કિમ એ ભારતસંઘનું રાજય બન્યું ?
- 36 મો બંધારણીય સુધારો, 1975
8. કયા બંધારણીય સુધારાથી બંધારણમાં નવમી અનુસચિ ઉમેરવામાં આવી?
- પ્રથમ બંધારણીય સુધારો, 1951
9. ક્યા બંધારણીય સુધારાને ““નાનું બંધારષણા'' કહેવામાં આવે છે ? - 42 મો બંધારણીય સુધારો, 1976
10. કયા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો જોડવામાં આવ્યા ?
- 42 મો બંધારણીય સુઘારો, 1976
11. મૂળભૂત ફરજો ભારતના બંધારણમાં કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી ?
- 42 મો બંધારણીય સુધારો, 1976
12. ક્યાં બંધારણીય સુધારા દ્વારા “મિલકતનો અધિકાર'' નાબૂદ કરવામાં આવ્યો?
- 44 મો બંધારણીએ સુધારો,1978
13. કયા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ-352માં 'આંતરિક અશાંતિ' ના બદલે 'સશસ્ત્ર બળવો' શખ્દ વાપરવામાં આવ્યો ?
- 44 મો બંઘારણીય સુધારો, 1978
14. કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં 10મી અનુસૂચિ અને તેમાં પક્ષાંતરધારો ઉમેરવામાં આવ્યો ?
- 52 મો બંધારણીય સુઘારો, 1985
15. કયા બંધારણીય સુધારા દ્વારા પુખ્તમતાધિકારની વય મર્યાદા ઘટાડી 21 વર્ષમાંથી 18 વર્ષ કરવાર્માં આવી ?
- 61 મો બંઘારણીય સુધારો,1989
16. કયા બંધારણીય સુધારા દ્વારા દિલ્લીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું ?
- 69 મો બંધારણીય સુધારો, 1991
17. કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતીરાજથી સંબધિત ભાગ-9 અને 11 મી અનુસૂચિ ઉમેરવામાં આવી?
- 73 મો બંધારણીય સુધારો, 1992
18. કયા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકા સંબંધી ભાગ-9 (A) અને 12 મી અનુસૂચિ ઉમેરવામા આવી ?
- 74 મો બંધારણીય સુઘારો,1992
19. કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં શિક્ષણના અધિકારના ભાગ સ્વરૂપે અનુચ્છેદ-21(A) ઉમેરવામાં આવ્યો?
- 86 મો બંધારણીય સુધારો, 2002
20. કયા બંધારણીય સુધારાથી ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો?
- 56 મો બંધારણીય સુધારો,1987
21. 92 મો બંધારણીય સુધારો, 2003 થી બંધારણની 8 મી અનુસૂચિમાં કઈ ભાષાઓને બંધારણમાન્ય ભાષાઓનો દરજ્જો આપવામા આવ્યો?
- બોડો, ડોગરી, મૈથિલી, સંથાલી
22. કયા બંધારણીય સુધારા દ્વારા મંત્રીપરિષદનો આકાર લોકસભા અને વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના વધુમાં વધુ 15% જેટલો કરી દેવામાં આવ્યો?
- 91 મો બંધારણીય સુઘારો, 2003
23. કયા બંધારણીય સુધારા દ્વારા “કો-ઓપરેટીવ સોસાયટી (સરકારી સમિતિ)'ઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?
- 97 મો બંધારણીય સુધારો, 2011
24. ભારતના બંધારણમાં સુધારા પ્રક્રિયા એ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?
- દક્ષિણ આફીકા
25. બંધારણીય સુધારા કેટલા પ્રકારે થાય છે ?
- ત્રણ પ્રકારે
26. બંધારણીય સુધારા માટેનો ખરડો સૌ પ્રથમ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?
- કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય
27. બંધારણના મોટાભાગના અનુચ્છેદોમાં સુધારો કરવા કઈ પ્રકિયા અપનાવવામાં આવે છે ?
- બંને ગૃહોમાં સાદી બહુમતિ દ્વારા
28. બંધારણીય સુધારા દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી કે રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને મતદાર મંડળ (સંસદ વિધાનમંડળ)ની કોઈ ખાલી બેઠકના કારણે પડકારી શકાશે નહીં ?
- 11 મો બાંધારણીય રાધારો,1961
29. કયા બંધારણીય સુધારા દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી આવશ્યક નથી?
- 11 મો બંધારણીય સુધારો,1961
30. કયા બંધારણીય સુધારા દ્વારા સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં દાખલ કરવામાં આવી ?
- 21 મો બંધારણીય સુધારો,1967
31. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યા વધુમાં વધુ 545 નક્કી કરવામાં આવી ?
- 31 મો બંધારણીય સુધારો,1972
32. સંસદને મૂળભૂત અધિકારોમાં સુધારા કરવાની સત્તા કયા બંધારણીય સુધારા દ્વારા મળી ગઈ ?
- 24 મો બંધારણીય સુધારો,1971
33. કયા બંધારણીય સુધારા દ્વારા 'શિક્ષણ'ને રાજ્યયાદીમાંથી સંયુક્ત યાદીમાં લઈ જવામાં આવ્યું ?
- 42 મો બંધારણીય સુધારો, 1976
34. ક્યાં બંધારણીય સુધારા દ્વારા 'જંગલો'ને રાજયયાદીમાંથી સંયુક્ત યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યું ?
- 42 મો બંધારણીય સુધારો, 1976
35. બંધારણીય સુધારા દ્વારા કોઈ વિશેષ પરિસ્થિતિઓમાં નીતિ નિર્દેશક સિદ્ધાંતોને મૂળભૂત અધિકારો કરતા વધુ મહત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી ?
- 42 મો બંધારણીય સુધારો,1976
36. ક્યાં બંધારણીય સુધારાથી લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારી 6 વર્ષ કરવામાં આવ્યો ?
- 42 મો બંધારણીય સુધારો, 1976
37. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરી દેવામાં આવ્યો ?
- 44 મો બંધારણીય સુધારો,1978
38. 42 માં બંધારણીય સુધારાની કેટલીક જોગવાઈઓ રદ કરવા કયો બંધારણીય સુધારો કરવામા આવ્યો ?
- 44 મો બંધારણીય સુધારો,1978
39. ક્યાં બંધારણીય સુધારાથી અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો?
- 55મો બંધારણીય સુધારો,1986